AI ની મદદથી ખેતીમાં આવશે ક્રાંતિ, ખેડૂતોને બંપર કમાણી કેવી રીતે થઈ શકે ??

આજના સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) એ દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી નોંધાવી છે. વાત ભલે વીડિયોની હોય, ફોટાના હોય, કન્ટેન્ટ રાઈટિંગ કે  પછી કોઈ પણ અન્ય ફિલ્ડ હોય પરંતુ દરેક જગ્યાએ એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે.

AI ખેતીમાં કેવી રીતે મદદ કરી શકે છે:

આજના સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે. દરેક કામમાં લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લેતા હોય છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખેડૂતોને ખેતીમાં કેવી રીતે મદદ કરી શકે છે. જ્યારે અમે ChatGPT ને પૂછ્યું કે આ પ્રશ્નનો જવાબ આપવા માટે પોતે કોણ ચેટબોટ છે, તો તેણે અમને ઘણી રસપ્રદ વાતો જણાવી. જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે

ડેટા એનાલિસિસ

એઆઈનો ઉપયોગ તમામ સેક્ટરમાં ડેટા એનાલિસિસ તરીકે થઈ રહ્યો છે. ખેતીમાં પણ એઆઈનો ઉપયોગ કરીને ડેટા એનાલિસિસ થઈ શકે છે. તે હેઠળ હવામાન, માટી, પાણી અને તમામ પ્રકારની ટેક્નોલોજીની અસરને સમજવામાં મદદ મળશે. ડેટા એનાલિસિસના કારણે ખેડૂતો એ સમજી શકશે કે તેમણે  કયા સમયે કયા સંસાધનનો ઉપયોગ કરવાનો છે અને પોતાની ખેતી માટે ક્યારે શું નિર્ણય લેવાનો છે. પૂરતો ડેટા હોવા પર ખેતી દરમિયાન જ્યારે કોઈ સુધારની સંભાવના હોય, તો તે પ્રમાણે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. તેમાં હવામાન આગાહી તો મળશે જ , માટીનું એનાલિસિસ, પાણીનો ઉપયોગ અને  કઈ રીતે બીજની પસંદગી કરવી તે બધામાં પણ મદદ મળી શકશે. આ સાથે જ કીટનાશકના ઉપયોગ સંલગ્ન નિર્ણયો પણ સરળતાથી લઈ શકાશે. 

કૃષિ ડેટા વિશ્લેષણ

AI ખેતી સંબંધિત ડેટાનું પૃથ્થકરણ કરીને હવામાનની પેટર્ન, જથ્થા અને પાકની વૃદ્ધિના સંકેતોને સમજી શકે છે. આ સાથે ખેડૂતોને પાક વ્યવસ્થાપન, અનુમાનિત વિશ્લેષણ, યોગ્ય ખેતી તકનીકોની ભલામણ અને ફાર્મ બાંધકામ વ્યવસ્થાપન અંગે સલાહ મળે છે.

મશીન લર્નિંગ

એઆઈમાં એક મહત્વની વસ્તુ છે મશીન લર્નિંગ  (Machine Learning), જેનાથી ખેતીમાં ફાયદો મળી શકે છે. મશીન લર્નિંગ એલ્ગોરિદ્મને ટ્રેનિંગ આપીને ખેતીમાં તમામ પ્રકારના નિર્ણયો સરળતાથી લઈ શકાય છે. આ નિર્ણયોમાં પાકનું ઉત્પાદન, કીટનાશક, રોગ પ્રબંધન, અને ખેતી સંલગ્ન અન્ય મુદ્દાઓ પર કામ થઈ શકે છે. એઆઈનો ઉપયોગ કરતા એક્સપર્ટ સિસ્ટમ વિક્સિત કરી શકાય છે. જેનાથી યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે. 

ઑપરેટિંગ પદ્ધતિનો ઉપયોગ અને વિકાસ

ખેતીમાં AI ખેડૂતોને કૃષિ મશીનો માટે વિવિધ ખેતીની એપ્લિકેશનો અને ઓપરેશન પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરી શકે છે. તે સમય, શ્રમ અને સંસાધનોની બચત કરીને અસરકારક અને સ્વતંત્ર ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરે છે.

ઓટોમેશન અને રોબોટિક્સ

AI ખેતીમાં ઓટોમેશન અને રોબોટિક્સનો ઉપયોગ ખેડૂતોને શ્રમ અને સમય બચાવવામાં મદદ કરે છે. રોબોટ્સ ખેડૂતો માટે ખેતરમાં ઘણાં ઉપયોગી કાર્યો કરવા શક્ય બનાવે છે, જેમ કે બીજ રોપવું, પાકને પાણી આપવું, જૈવિક ખાતરો છાંટવા અને જંતુનાશકોનો છંટકાવ કરવો.

ઉત્પાદનોની ગુણવત્તા નક્કી કરવી

AI ખેતીમાં ઉત્પાદનોની ગુણવત્તા નક્કી કરવામાં મદદ કરી શકે છે. આનાથી પાકની ગુણવત્તા અને જથ્થાને નિયંત્રિત કરી શકાય છે અને બજારમાં તેના ભાવને વધુ અનુકૂળ બનાવી શકાય છે.

સ્વતંત્ર અને સ્વચાલિત ઉપયોગ

એઆઈની મદદથી સ્વતંત્ર અને સ્વચાલિત મશીનો (Independent and Automatic Machine) વિક્સિત કરી શકાય છે. આ મશીનોની મદદથી ખેતીના અનેક કામોને ઓટોમેટિક કરી શકાય છે. તેનાથી પ્રોડક્શન વધારવામાં મદદ મળશે. તેમાં અનેક પ્રકારના સેન્સર અને ઉપકરણોની મદદ પણ લઈ શકાય છે. જેનાથી ખેતીમાં સિંચાઈ, ખાતર અને કીટનાશકનો ઉપયોગ ઓટોમેટિક થઈ શકે છે. એઆઈની મદદથી મોટાભાગની વસ્તુઓ ઓટોમેટિક થઈ જશે તો તમે ખેતરમાં સમય અને લેબર બંને બચાવી શકો છો. જેનાથી પ્રોડક્શન વધશે અને નફો પણ. 

રોગ અને કીટનાશક મેનેજમેન્ટ

ખેતીમાં દરેક ખેડૂતને સૌથી વધુ ડર રોગો કે વાયરસનો રહે છે. અનેકવાર ખેતીમાં રોગ બીજો હોય છે પરંતુ તેને યોગ્ય રીતે સમજી ન શકવાના કારણે તેનો ઉપચાર થઈ શકતો નથી અને નુકસાન ઝેલવું પડે છે. એઆઈની મદદથી રોગને સમયસર ઓળખવો અને તેના યોગ્ય ઈલાજને લાગૂ કરવાનું સરળ થઈ રહેશે. તેનાથી ખેતીની સુરક્ષા વધશે અને પરિણામ એ આવશે કે પ્રોડક્શન પણ વધશે. 

મુશ્કેલી નિવારણ

AI ખેડુતોને તેમની સમસ્યાઓ હલ કરવામાં મદદ કરી શકે છે. આ તમને જૈવિક ખાતરો, જંતુનાશકો અને રોગોના સંચાલન માટે વિવિધ પદ્ધતિઓ પર સલાહ અને ઉકેલો આપે છે.

ખરીફ ઋતુમાં બિયારણની ખરીદીના સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા આટલી કાળજી જરૂર રાખવી

રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. રાજ્યના ખેતી નિયામકશ્રીના જણાવ્યા અનુસાર, ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. વધુમાં જણાવ્યાનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ પણ ખરીદેલ બિયારણનું પેકેટ કે થેલી અને તેનું બીલ સાચવી રાખવુ જરૂરી છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.